Chapter 2 : English શિખવા માટે તમારે આ book ની કેમ જરૂર છે? 

આ book જ્યારે મે લખવાની શરૂઆત કરી તે સમય થી અત્યાર સુધી માં એક વિચાર મારા મન માં ફરી રહ્યો છે કે આ book લખવાની કેમ જરૂર પડી? શુ મારી આ book English શિખવા ઇચ્છ્તા બધાજ students ને તેમના કામ મા મદદ કરી  શકશે ?  Already, ઘણા બધા spoken English classes ચાલી જ રહ્યા છે. ઘણી બધી books બજારમાં મળી રહી છે. વધુમાં, લોકો English ભાષા માં fluency achieve કરવા માટે ઘણા બધા પ્રયત્ન પણ કરી રહ્યા છે. તો પછી આ એક નવી book કેમ ?

હું એવું માનું છુ કે જો લોકો English શીખવા માટે આટલા બધા efforts (પ્રયત્ન) આપતા હોય તો તેમને ઇચ્છિત પરિણામ મળવા જોઈએ. પરંતુ, વાસ્તવ માં આવું થતું નથી. હું જ્યારે કોઈ English aspirants ને પૂછું છુ તો જવાબ એ મળે છે કે આટલા બધા પ્રયત્નો છતા પણ તેઓ fluently English બોલી શકતા નથી.

હું એ બધાજ English aspirants માટે ચિંતિત છુ કે જે English શીખવા માંગે છે અને આ book  માં કશુંક extraordinary આપવા માંગુ છુ જે એમની English વિચારવાની ક્ષમતાને improve કરી શકે. આપ જાણો છો કે English એક ભાષા છે અને ભાષા શીખવા માટે ભાષાના મહત્વને તથા એના સિદ્ધાંતો ને સમજવા ખૂબ જ જરૂરી છે. આ book માં આપણુ ધ્યાન મુખ્યત્વે  English પર જ કેન્દ્રિત છે. પરંતુ અહીં આપેલા સિદ્ધાંતો ને તમે કોઈ પણ ભાષા પર apply કરી તે ભાષા પણ શીખી શકો છો. સૌપ્રથમ આપણે ભાષા ના મહત્વને અને પછી English ના મહત્વ ને સમજીશું. પછી હું તમને આ book ના માધ્યમ થી એ બતાવવા પ્રયત્ન કરીશ કે કઈ રીતે ફક્ત આ એક જ book તમારા English ની વિચારધારા માં અદભુત  positive changes  લાવી શકે છે અને કઈ રીતે આ એક જ book તમને English બોલવાની અમુલ્ય skill ભેટ આપી શકે છે.

આપણે જાણીએ છીએ તેમ ભાષા એ વાતચીત કરવા માટેનું માધ્યમ છે. ભાષા એ કોઈ પણ સંસ્કૃતિ ના અસ્તિત્વ ને ટકાવી રાખવા અને પ્રગતિ કરવા માટેની જરૂરિયાત છે.તે કુદરત દ્વારા માનવ જાતિ ને અપાયેલી એક ઉત્તમ ભેટ છે. આપણે હમેશા ભાષાના મહત્વને અવગણી છીએ કારણકે તે આપણને આપણા માતા-પિતા,family અને આસપાસ ના વાતાવરણ માંથી free માં શીખવા મળે છે. કોઈ અજાણી શક્તિ દ્વારા જો ભાષા આપણાથી છીનવી લેવામાં આવે તો આપણા માટે જીવન જીવવું મુશ્કેલી ભર્યું બની જાય.

ભાષા વિના આપણે કશું જ ના કરી શકીએ, જેમકે, હું લખી ના શકું, તમે વાંચી ના શકો,આપણે લોકો જોડે વાત ના કરી શકીએ, આપણે સંદેશો ના મોકલી શકીએ, લોકો પોતાની office ના ચલાવી શકે. જ્ઞાન એક પેઢી થી બીજી પેઢી સુધી transfer ના થઈ શકે.ઇતિહાસ નો સંગ્રહ ના થઈ શકે. ટૂંકમાં, આપણે જીવન ના દરેક તબ્બકે મુશ્કેલી માં મુકાઇ જઈએ.  અત્યારે દુનિયા માં હજારો ભાષાઓ બોલાય છે જેમાં આપણી માતૃભાષા ગુજરાતી એક છે. આપણે ગુજરાત માં રહીએ છીએ તેથી આપણે ગુજરાતી સારી રીતે બોલી અને સમજી શકીએ છીએ. આપણે જેટલું જ્ઞાન ધરાવીએ છીએ તે બધુજ આપણે આપણી માતૃભાષા ના માધ્યમ થી અર્જિત કર્યું છે.પરંતુ, જો આપણે આપણી માતૃભાષા સિવાય ની કોઈ બીજી  ભાષા નથી જાણતા તો આપણા  માટે ગુજરાત બહારના કોઈ વ્યક્તિ સાથે કે પછી ભારત બહાર ના કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવી અશક્ય છે કારણકે આપણે ફક્ત આપણી માતૃભાષા જ જાણીએ છીએ.

જે લોકો એક જ ભાષા જાણતા હોય છે તે લોકો ફક્ત એજ ભાષા માં વાતચીત કરી શકે છે. વધુ ઊંડાણ થી જોઈએ તો તે લોકો ફક્ત એક જ ભાષા માં વિચારો ની આપ-લે કરી શકે છે,એ ભાષા નું જ સાહિત્ય વાંચી શકે છે. જેથી તે વ્યક્તિ ના વિચારો ફક્ત એજ ભાષા સુધી જ સીમિત થઈ જાય છે.

આજ વાત ને જરા અલગ રીતે જોઈએ. અત્યાર ના સમય માં આપણે ઘણી બધી એવી books  વાંચીએ છીએ જે originally ગુજરાતી માં લખાયેલી નથી. આ બધી books કોઈ બીજી ભાષા માં લખાયા પછી ગુજરાતી ભાષા માં ભાષાંતરીત થયેલી છે. આપણે આ બધી books વાંચી શકીએ છીએ કારણકે તે બીજી કોઈ ભાષા માં લખાયા પછી આપણી ભાષા માં translate થઈ છે. અત્યારે આપણે આવી કેટલીયે નવલકથાઓ, વાર્તાઓ અને નાટકો ગુજરાતી માં વાંચી શકીએ છીએ.

આપણે કદાચ એ ભાષા નહીં જાણતા હોઈએ જેમાં originally એ books લખાયેલી હશે તેમછતાં આપણે આ books વાંચી શકીએ છીએ. Enjoy કરી શકીએ છીએ. For example, આપણે “શેરલોક હોમ્સ” ની વાર્તાઓ ગુજરાતી માં વાંચી શકીએ છીએ. “શેરલોક હોમ્સ” England નાપ્રખ્યાત લેખક અને physician, “સર આર્થર કોનાન ડોયલ” ની ક્રુતિ છે. હોમ્સ એ character છે કે જે પોતાના astute તર્ક, રૂપ બદલવાની ક્ષમતા, અને forensic expertise માટે પ્રખ્યાત છે કે જેના adventure અદભૂત છે. આ series ના ભાગ શ્રી રમણલાલ સોની દ્વારા translate કરવામાં આવ્યા છે કે જેઓ બાળ સાહિત્ય ના લેખક, translator અને સમાજ સેવક તરીકે જાણીતા છે.

આપણે ગુરુદેવ શ્રી રવિન્દ્રનાથ ટાગોર ની મહાન ક્રુતિ “ગીતાંજલિ“ ને ગુજરાતી માં માણીએ છીએ કારણ કે કોઈએ આ ક્રુતિ ને ગુજરાતી માં translate કરી હશે. ગીતાંજલિ દુનિયાની ઘણીબધી  ભાષા ઓ માં translate થઈ છે.વધુમાં,એવી ઘણી બધી books, novels અને સાહિત્ય છે જે originally કોઈ બીજી ભાષામાં લખાયા પછી બીજી ભાષાઓ માં translate થઈ હોય. આ પ્રકારની books ના કારણે જ આપણે બીજી સંસ્કૃતિ ના જ્ઞાન, મહાનતા,culture ને સમજી શકીએ છીએ.એક સંસ્કૃતિ દ્વારા બીજી સંસ્કૃતિ ને સમજવા કે પછી એક સંસ્કૃતિ ના લોકો ને બીજી સંસ્કૃતિ ના લોકો સાથે વિચારો ની આપલે કરવા ભાષા સૌથી મહત્વનુ સાધન છે.

જો શ્રી રમણલાલ સોની એ “શેરલોક હોમ્સ” “ને આપણા માટે translate ના કર્યું હોત તો ? જો “ગીતાંજલિ” કોઈ બીજી ભાષા માં translate ના થઈ હોત તો? જો એક ભાષા માં બનેલી books બીજી ભાષા માં translate જ ના થતી હોત તો ?

તો આપણે “ગીતાંજલિ” ના સાહિત્યરસ અને “શેરલોક હોમ્સ” ના adventure થી અજાણ જ રહી જતાં? તો આપણે આ બધી books માં થી મળતા જ્ઞાન, wisdom અને મહાનતા થી અજાણ રહી જતાં?

તેથી જ આપણે શ્રી રમણલાલ સોની ને ધન્યવાદ આપવા જોઈએ કે જેમને આપણા માટે શેરલોક હોમ્સ translate કરી. આપણે એ બધા જ વ્યક્તિઓ ને ધન્યવાદ આપવા જોઈએ કે જે એક ભાષા માં બનેલી books બીજી ભાષા માં translate કરે છે. એટ્લે જ એક કરતાં વધારે ભાષાઓ નું knowledge હમેશા ઉપયોગી થઈ રહે છે.

હવે આપણે ચર્ચા ને English પર લાવીએ. English નું મહત્વ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે અને તે એક વૈશ્વિક (international) ભાષા નો દરજ્જો મેળવી ચૂકી છે.તમે આ book વાંચી રહ્યા છો એ બતાવે છે કે તમે already English ના મહત્વથી વાકેફ છો. અથવા, તમે તમારા રોજબરોજ ની વાતચીત માં English ના આવડવા ના કારણે પાછળ પડી ગયા છો એવું તમને લાગે છે.અથવા,English માં fluent ના હોવું તમારા career માટે એક obstruction છે.

  • તમે school કે college ના student છો અને તમારે English એક વિષય તરીકે શીખવો પડે છે. પરંતુ English માં સમજ કેળવાઈ નથી અને તમે ફક્ત ગોખણપટ્ટી થી જ માર્કસ લાવો છો.
  • અથવા, તમે એવા student છો કે જે English વાંચી અને સમજી શકે છે અને અમુક familiar situations માં બોલી પણ શકો છો. પરંતુ જ્યારે કોઈ લાંબી ચર્ચા English માં કરવી હોય કે પછી serious chatting કરવું હોય, Presentation હોય કે Interview આ બધી  unfamiliar situation માં તમે struggle કરો છો.
  • તમે teacher, executive કે પછી businessman છો અને તમારે English fluency ની તમારા રોજ ના conversation માં જરૂર છે.
  • કદાચ તમે ગૃહિણી છો અને તમારા બાળક ના ભવિષ્ય માટે ચિંતિત છો અને જાતેજ English શીખી ને એને મદદરૂપ થવા માંગો છો.
  • તમે કોઈ એવા વ્યક્તિ છો કે તમારે ફક્ત સારું fluent English બોલીને તમારા મિત્ર વર્તુળ માં impression જમાવવી છે.

તમે જાતે જ નિર્ણય કરી શકો છો કે English તમારે કેમ શીખવું છે? લોકો ને impress કરવા કે પછી જીવન માં આગળ વધવા,પ્રગતિ કરવા કે પછી તમારી dream job મેળવવા, business માં સફળતા મેળવવા કે તમારા બાળક ને મદદરૂપ થવા. તમારી જરૂરિયાત અલગ અલગ હોઇ શકે છે. પરંતુ જો તમે English શીખવા માટે ખરેખર તૈયાર છો તો હું તમને એક ખાતરી આપવા માંગુ છુ કે આ book પૂરી કરતાં સુધી માં તમારા English ના વિચારો માં અદભૂત અને હકારાત્મક changes આવશે.

Just read ahead.

  • oxygenforenglish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *